રશિયા અને યુક્રેનના યુદ્ધની લીધે રાજ્યના હીરા ઘસુ માટે આભ તૂટી જાય તેવા દુઃખદ સમાચાર, જાણો…

રશિયા અને યુક્રેન યુદ્ધની મોટી ભીતી થી સુરતમાં હીરા ઉદ્યોગકારો માં ભારે ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. સંભવિત યુદ્ધના મંડાણ દર્શાવતા રફ હીરા નહીં મળવાની ભીતી એ ઉદ્યોગકારોને ચિંતા ના મહાસાગર માં ડુબાડી દીધા છે.
ધંધાકીય દ્રષ્ટિએ સુરત સહિત સમગ્ર દેશ મા 30 ટકા રફ હીરાની આયાત રશિયા થી થઈ રહી છે.આવી પરિસ્થિતિમાં રશિયાની રફ માઈનિંગ કંપની એલારોઝાનો સુરત ડાયમંડ બુર્સ ને પત્ર પાઠવી હીરા ઉદ્યોગને ચિંતા ન કરવા જણાવાયું છે.એલારોઝાએ ખાતરી આપી છે કે રફ ની આયાત બંધ કરવામાં નહિ આવે.
રફ હીરાની આયાત નહીં અટકે તેવી હૈયાધારણ બાદ ઉદ્યોગકારો એ રાહતનો શ્વાસ જરૂર લીધો છે પરંતુ રફના ભાવ વચ્ચે ઇકોનોમી પર ઘેરી અસર પડવાની પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સાથોસાથ બેન્કિંગ સેવાઓ બંધ થાય તો વેપાર પર ખરાબ અસર થવાની ચિંતા પણ સેવાઇ રહી છે.
આમ તો યુક્રેનમાં કેટલાય દેશોના નાગરિકો ફસાઈ ચુક્યા છે પણ પોતાના લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે ભારત દુનિયામાં સૌથી વધારે એક્ટીવ ઓપરેશન ચલાવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના કેબિનેટના ચાર મંત્રીઓએ મોરચો સંભાળ્યો છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ યુક્રેન થી ભારતીઓને સ્વદેશ લાવવાના મિશનમાં સતત ફ્લાઇટ ઉડી રહી છે.